Site hosted by Angelfire.com: Build your free website today!
Blog Tools
Edit your Blog
Build a Blog
RSS Feed
View Profile
« November 2008 »
S M T W T F S
1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30
Entries by Topic
All topics  «
You are not logged in. Log in
gujarati
Tuesday, 28 March 2006

Now Playing: The Great Gujarati author Chandrakant Baxi passes away
ગુજરાત નરકેસરી ચંદ્ર્કાંત બક્ષી


તારીખ 25-3-2006 શનિવાર ના રોજ ગુજરાત પાસેથી કુદરતે એક અમુલ્ય રતન છીનવી લીધુ,ચંદ્ર્કાંત બક્ષી એ ગુજરાતી પ્રજાનો આત્મા હતા જેણે અમારી જેવા અનેક ને વિશ્વના દરેક વિષય વિશે માહિતી આપી પછી તે બાકુની કે નિત્સેની અરાજકવાદી ફિલોસોફી હોય કે લેટીન સાહિત્ય હોય,આ બધુ અમોને આપ્યુ અને જીવનમાં કેમ ખુમારીથી ને મર્દની જેમ રહેવુ આ બધુ શિખવાડયુ.નર્મદાનો પ્રશ્ન હોય કે ગોધરા નો પ્રશ્ન હોય આ એક જ એવો માણસ હતો જેણે દંભી માનવઅધિકારોવાળા ને જડબાતોડ જવાબ આપ્યો,આવા ગુજરાતી વીર ચંદ્રકાંત બક્ષીની અમારા કોટી કોટી ના વંદન,આતા તારા જવાથી અમારુ ગુજરાત ભરજવાનીમાં રંડાય ગયું.
દુ:ખ એ વાતનુ છે કે આવો ભડવીર મૃત્ય પામ્યો ત્યારે ગુજરાતની સરકારે આખા ગુજરાતમાં શોક દિવસ પાડ્યો નહી જ્યારે કોઈ નફટ,લાંચીયો,નાલાયક,હરામખોર,દેશદ્રોહી,ધર્મદ્રોહી ને એની માના વર જેવા નેતા કે બાવો મરી જાય ત્યારે શોક પાડે છે ત્યારે થાય છે કે આ ગુજરાત ને સાચા બોલા નહી પણ ચાંપલૂસી કરે તેવા જ ઢોંગી ગમે છે.
ચંદ્ર્કાંત બક્ષી લિખીત "અસ્મિતા ગુજરાતની" માંથી થોડાક વાક્યો :
* અહીં બે જાતના અભણ ગુજરાતી મળે છે.એક અંગૂઠાછાપ અને બીજા કોંવેંટિયા.બંને ગુજરાતી શીખી રહ્યા છે.હું એક એવો દિવસ જોઈ રહ્યો છું જ્યારે ગુજરાતી માતાઓએ એમનાં બાળકો પાસેથી માતૃભાષા ગુજરાતી શીખવી પડશે.(પાના નં.23)
*મને ગુજરાતી બોલતા આવડતું નથી.મને ગુજરાતી વાંચતા આવડતું નથી.મને ગુજરાતી લખતા આવડતું નથી.આ વાક્યો ગાંધીજીના વાંદરાઓએ કહ્યાં નથી,પણ મુંબઈનાં ગુજરાતી કુટુમ્બોમાંથી અંગ્રેજી માધ્યમની સ્કુલોમાં ભણવા મોકલાયેલા ગોરાંગોરાં લંગુરો રોજ કહેતા હોય છે,જ્યારે દાંત પર બ્રેસીસ ફીટ કરેલી ગોરી ગોરી ગુજ્જુ લંગુરી છોકરી ઝાંખડા જેવા અમેરિકન સ્ટાઈલ પર્મ વાળ હલાવીને ડોનાલ્ડ ડકની જેમ મોઢું પહોળું કરીને કહે છે કે "આઈ કેંટ સ્પીક ગુજરાતી" ત્યારે એને ઊંધી કરીને એના નિંતબ પર અમેરિકોનોની જેમ "સ્પેંક" કરવાનું મન થઈ જાય છે.(પાના નં.42)
*મુરારિદાસ એંડ પાર્ટી: સ્થલક્રીડા,જલક્રીડા,પવનક્રીડા.....આજે હિન્દુ ધર્મ અથવા ગુજરાતીઓનો હિન્દુ ધર્મ અતિધનિક પૈસાદારોની સેવા કલબની ફુરસતી પ્રવૃત્તિમાં પલટાઈ રહ્યો છે,અને એક માણસ આ વિકૃતિ માટે પૂર્ણત:ઉત્તરદાયી છે.પાંચ ફીટ છ ઈચ ઊંચા,માત્ર એસ.એસ.સી. સુધી ભણેલા(બે વાર ફેલ) 47 વર્ષીય મુરારિદાસ પ્રભુદાસ ત્રિભુવનદાસ હરિયાણી.(પાના નં.219) નોંધ: હવે એક નહી બે જણ જવાબદાર છે એક મોરારી અને બીજા રમેશ ઓઝા.
*હિંદુસ્તાનમાં ગુજરાતીઓ જેટ્લી સુસ્ત સ્વેક્ન્દ્રી ઉદાસીન હકની બાબતમાં કાયર,અદૂરંદેશી,પરનિર્ભર કોઈ પ્રજા હશે ? (પાના નં. 234)

Posted by poetry/ashok3b at 1:27 PM EST
Post Comment | Permalink | Share This Post
Sunday, 19 March 2006
travling earth - ફરવા આવ્યો છું
કવિ નિરંજન ભગત નુ કાવ્ય "ફરવા આવ્યો છું" ની રચના પૃથ્વી માટે પ્રેમ છે નહી કે તિરસ્કાર કારણ કે આજના આ દંભી કથાકારો અને કામચોર બાવાઓ જે રીતે કહેતા હોય છે કે પરલોકમાં સુખ મેળવવા માટે આ કરવુ જોઈએ તે કરવુ જોઈએ(અમારા ગામમાં આવા બે જણ છે ખોટીના) આ ન કરવુ જોઈએ( એ પોતે એક્ય અમલવારી કરતા ન હોય) તેની વાત નથી પણ પૃથ્વીમાં ઘણુય એવુ છે જેનો મનભરી આનંદ મેળવો જોઈએ બીજો ભવ છે કે નહી તે તો ખબર નથી પણ નહીતર એવુ થાય કે મરવાની છેલ્લી ઘડીએ ખબર પડે કે બીજા ભવ માટે જે આપણે આ દંભીઓના પેટ ભરતા હતા તેવુ તો છે નહી અને છેતરાયા ગયા તેનુ ભાન થાય પણ પછી શું "રાંડ્યા પછી નું ડહાપણ" પણ આનો અર્થ એવો નથી કે આપણે ભ્રષ્ટાચાર કરવો કે નીતી વગરનું જીવન જીવવુ પણ જે આનંદ પ્રાકૃતિક છે તેનો મનભરી આનંદ માણવો.

ફરવા આવ્યો છું

હું તો બસ ફરવા આવ્યો છું ?
હું કયાં એકે કામ તમારું કે મારું
કરવા આવ્યો છું ?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
--રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં
સરવા આવ્યો છું !
જાદુ એવો જાય જડી
કે ચાહીં શકું બે ચાર ઘડી
ને ગાઈ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે
ધરવા આવ્યો છું !
હું તો બસ ફરવા આવ્યો છું !
-નિરંજન ભગત

Posted by poetry/ashok3b at 9:29 AM EST
Post Comment | Permalink | Share This Post
Sunday, 27 November 2005
story of one chicken-મરઘાની વાત
Mood:  sad
આ કાવ્યમાં કે જે હું આજે આપની સમક્ષ કવિ "ઉદયન ઠક્કર" પ્રસ્તુત કરું છુ જેમાં મારી તમારી બધાની વાત છે.

આ ફકત એક મરઘાની વાત છે
**************************
મસિજદબંદરમાં મણિલાલ નામે
એક બદામી રંગનો મરઘો રહે છે.
મણિલાલ નાંનાં મરઘાંઓને બિવરાવે છે.
મરઘીઓ અગાડી છાતીમાં હવા ભરીને બાંગ મારે છે.
ખાધેપીધે સુખી છે, ટૂંકમાં.
મણિલાલ મરઘાને ખબર નથી
કે પોતે થોડા જ દિવસોમાં ખવાઈ જવાનો.
પણ ધારો કે એને ખબર બી હોય,
અને એ ગમે તેમ ભાગી બી જાય,
તો ચાર ગલ્લી દૂર ડોંગરીમાં એને બીજો કોઈ પકડી પાડશે,
અરે મુંબઈની બારે ભાગી જાય તો સીમ ને ખેતરોમાં ઝલાશે,
જંગલમાં ભાગે તો ભીંલડાં ને શિયાળવાં દાંત ભેરવશે,
દરિયામાં ડાઈવ લગાવી તરતો તરતો ઈંડિયા છોડી દે
તો રોમ ને રંગૂનમાં રાંધશે,
માલિક સામે લડશે તો ગળું ટૂંપાશે,
ખુશામદ કરતો રહેશે તોય કાપશે.
સંતાઈ છુપાઈ જશે તો ગોતીગોતીને મારી ખાશે.
કહો તમે જ કહો, મણિલાલ જાય કયાં ? મણિલાલ કરે શું ?
=કવિ ઉદયન ઠક્કર
gujarati poetry

Posted by poetry/ashok3b at 8:33 AM EST
Post Comment | Permalink | Share This Post
Tuesday, 22 November 2005
waiting someone
Mood:  quizzical
"સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ ,
ચાલ, મજાની આંબાવાડી ! આવળ બાવળ રમીએ."

પ્રતિક્ષા નો આનંદ પણ કંઈ'ક ઔર જ છે,જ્યારે સમગ્ર સંસારનાં પાત્રો જેને આપણા માન્યા હોઈ તેજ વિમુખ થઈ જતા જોઈ ને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે પણ છતાં એમ થાઈ છે કે ના હજી કો'ક તો છે જે કે જેના હ્રદયમાં મારુ સ્થાન છે અને તે મારાથા વિમુખ નથી અને આ પાત્રની પ્રતિક્ષા હોઈ છે "સુરેશ દલાલ" પોતાના કાવ્યમા આવું જ કંઈ'ક કહે છે :

કોઈ રસ્તાની ધારે ધારે
બેસી સાંજ સવારે
તારી રાહ જોંઉ છું.
ઊડતાં ઊડતાં પંખીઓ પણ
તારું નામ પુકારે
તારી રાહ જોઉ છું.
તારું નામ લઈને આભે
સૂર્યોદય પણ થાતો .
સૂરજ તારું નામ લઈને
સાંજે ડૂબી જાતો.
કદીક આવશે તું :
એવા અગમતણા અણસારે
તારી રાહ જોઉ છું.
વનની કેડી વાંકીચૂકી : મારે કેડી સીધી .
મેં તો તારા નામની
મીઠી કમલકટોરી પીધી.
રાતની નીરવ શાંતિ :
એના રણઝણતા રણકારે
તારી રાહ જોંઉ છું.

gujarati

Posted by poetry/ashok3b at 1:16 PM EST
Updated: Tuesday, 22 November 2005 1:22 PM EST
Post Comment | Permalink | Share This Post

Newer | Latest | Older